લોકસભા બાદ રાજ્યસભાની કાર્યવાહી પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. બપોરે 12 વાગ્યે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી દળોના સભ્યો દ્વારા નિયમ 267 હેઠળ આપવામાં આવેલી સ્થગિત દરખાસ્તની નોટિસનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ પછી અધ્યક્ષ જગદીપ ધનખડે બંધારણ પર ચર્ચાની સાથે આ સત્ર દરમિયાન થયેલી કામગીરીની વિગતો ગૃહમાં રજૂ કરી અને કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાની જાહેરાત કરી.