વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મોડી રાત સુધી તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી કરાઇ છે. જેમાં બે ટ્રકનો કાટમાળ બહાર કાઢવામાં આવ્યો છે. તેમાં પિકઅપ ગાડી, ઈકો ગાડી અને રીક્ષા બહાર કાઢી છે. અત્યાર સુધીમાં 18 મૃતદેહો બહાર કાઢ્યા છે. 2 દિવસ વીતવા છતાં પણ બે લોકો હજુ ગુમ છે. જેમાં સરકારે જવાબદાર 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.