હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય:જ્ઞાનપ્રકાશ તે દંતકથા અને પ્રસંગકથા હોઈ શકે:જ્ઞાનપ્રકાશ પહેલા જલારામ બાબા પર અને હવે મહાભારત પર વિવાદિત ટિપ્પણી Gyan Prakash Swami Viral Video: સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ તો વિવાદની વણઝાર ઊભી કરી દીધી છે. એક બાદ એક વિવાદિત વીડિયો સામે આવી રહ્યાં છે. પહેલા જલારામ બાબા પર બફાટ કર્યો અને હવે મહાભારત પર વિવાદિત ટિપ્પણી કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. શા માટે પોતાના સંપ્રદાયને મોટો કરવા માટે આવા બફાટો કરવામાં આવી રહ્યાં છે? જ્ઞાન પ્રકાશ સ્વામી પોતે અજ્ઞાન હોય તેવા નિવેદનો કેમ આપી રહ્યાં છે? સ્વાભાવિક છે કે, અત્યારે આ સ્વામીનો રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.