મંદિરના વહીવટદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારીની નિમણૂક કરી છે પ્રથમવાર ભવનાથ મંદિરમાં સાધુને બદલે વહીવટદારની નિમણૂક વહીવટદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક Junagadh News: જુનાગઢમાં પ્રથમવાર ભવનાથ મંદિરમાં સરકારનું શાસન આવ્યું છે. જેમાં ભવનાથ મંદિરના સરકારનું શાસન લાગુ થયું છે. તેમાં મંદિરના વહીવટદાર તરીકે કલેક્ટરે પ્રાંત અધિકારીની નિમણૂક કરી છે. તેમજ મંહત હરીગીરીની મુદત આજે પુર્ણ થતા તંત્રએ નિર્ણય લીધો છે. ભવનાથના મંહતની નિમણૂક કલેકટર કરે છે. જેમાં મંહત હરીગીરી સામે મહેશગીરીએ અનેક આક્ષેપો કર્યો હતા.